અંબાજી એસટી ડેપોની આદિજાતિ મોરચા વિભાગે મુલાકાત કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી ડેપો ખાતે પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી, આદિજાતિ મોર્ચો નીલેશભાઈ બુંબડીયા, ગમાજી ખરાડી, રવીન્દ્રભાઈ દાંતા તાલુકાના સરપંચો અંબાજી એસ.ટી ડેપો ખાતેથી સંચાલિત થતા લોકલ (ટ્રાયબલ) વિસ્તારની બસો બાબતે પ્રશ્નો સંદર્ભે આજરોજ ડેપો મેનેજર રઘુવીરસિંહની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆતો કરી છે.આ તમામ રજૂઆતોની સાચી ગંભીરતા અને ટ્રાયબલ વિસ્તારના વાહન વ્યવહારના પ્રશ્નો બાબતની લોકોની સાચી ચિંતા અને સરકારના વધુમાં વધુ લોકો સુધી એસ.ટી ની સેવા પહોંચાડવાના અભિગમને સાર્થક કરવાના પવિત્ર ઉદ્દેશ્ય બાબત લાંબી ચર્ચાઓ કરી હતી.


અંતે આવનાર પ્રતિનિધિઓની સાચી રજૂઆતને માન્ય રાખી ટ્રાયબલ વિસ્તારમાં હાલમાં ચાલુ તમામ રૂટોને નિયમિત સંચાલિત કરવામાં આવશે. સાથો સાથ કોઈ અન્ય રજૂઆત હોય તો તે બાબતે તાત્કાલિક સકારાત્મક પગલા લઇ પ્રશ્નો નિરાકરણની બાહેંધરી આપી હતી. આજની ચર્ચાનો અને ટ્રાયબલ વિસ્તારના વર્ષો જૂના પ્રાણપ્રશ્નોનું હકારત્મક નિરાકરણ થતા સૌ પ્રતિનિધિઓ એ નિરાંત અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.