આબુરોડના પરીવારે પૂર્વજાેના લાખોના દાગીના અંબાજી મંદિરમાં દાન કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને આજે રૂપિયા ૨૨.૪૩ લાખની કિંમતના સોના ચાંદીની ભેટ મળી છે. આબુ રોડના વિજયકુમાર ચોરાસીયાએ પોતાની બે બહેનો સાથે અંબાજી મંદિર આવી ૫૨૭.૮૦૦ ગ્રામ સોના અને ૧૧૧૦ ગ્રામ ચાંદીના જુના દાગીનાની ભેટ માતાજીના ચરણોમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. જે દાગીના જાેતા ઉર્દુ ભાષામાં લખાણ લખેલું પણ જાેવા મળ્યું હતું. આ દાગીના તેમના પૂર્વજાેના હતા અને તેમને કોઈ સંતાન ન હતું ત્યારે વર્ષોથી સંગ્રહી રાખેલા સોના ચાંદીના દાગીના માં અંબેના ચરણોમાં ધરીને મોટી જવાબદારીમાંથી મુક્ત થયા હોય તેમ સોનુ દાન કરનાર વિજયકુમાર ચોરસિયા આબુરોડવાળાએ જણાવ્યું થયુ અને સાથે અન્ય ભક્તો ને પણ અપીલ કરી હતી કે પૂર્વજાે ની આવી કોઈ મિલકત હોય તો માતાજી ને અર્પણ કર દેવી જાેઈએ. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા આ દાગીના ભેટમાં લઈ પહોંચ આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.