યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અંબાજી : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગતરોજ માં અંબાના નિજ મંદિરમાં અંબાના ગર્ભગૃહ સહીત મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી. દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળા બાદ મંદિરને સાફ-સફાઈ અને શુદ્ધ કરવાના હેતુથી કરાય છે. પ્રક્ષાલન વિધિ આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માનસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી.
વર્ષમાં એક વખત માતાજીનું યંત્ર પ્રક્ષાલન વિધિ આ વખતે બહાર કાઢી શુદ્ધ કરાય છે અને સાફ-સફાઈ કરાય છે સાથે જ માતાજીના બધા દાગીનો, વાહનો, પૂજા સામગ્રીના વાસણો દરેક વસ્તુની સાફ-સફાઈ અને શુદ્ધિકરણ કરવામાં આવેલ છે. માં અંબાના ગર્ભગૃહ સહીત
સોના ચાંદીના આભૂષણોને ગંગાજળ સરસ્વતીના નીર સહીત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરીથી શુભ મુહુર્તમાં માતાજીના મંદિરમાં પ્રસ્થાપીત કરવામા આવ્યા હતા. આમ તો આ પ્રક્ષાલન વિધિમાં ભાગલેવા સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભકતો આવતાં હોય છે પરંતુ કોરોના મહામારીને લઈ ને માત્ર સોની પરિવાર અને મંદિરના મહારાજને જ પરમિશન આપવામાં આવી હતી. આ સોની પરિવાર દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે માતાજીની પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ બાદ માતાજીના દાગીનામાં ઘટ પડતી હોય તે બદલ સોની પરિવાર દ્વારા એક સોનાનો મણકો પણ માતાજીને મૂકવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.