પાલનપુર ખાતે ગરબા પર જીએસટી સામે આપનો વિરોધ
ગુજરાતની હિન્દુત્વવાદી સરકારે નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટમાં થતા ગરબાના પાસના વેચાણ પર ૧૮% જી.એસ.ટી. નાખતા રાજ્યભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરાયો હતો.ગરબા પર ૧૮% જી.એસ.ટી. લાદવા સામે આજે પાલનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જેમાં પાલનપુરના નવા બસ સ્ટેશન પાસે આપ ના કાર્યકરોએ ગરબે ઘૂમી ગરબા પરના જી.એસ.ટી. સામે વિરોધ જતાવ્યો હતો.