ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા લઠ્ઠાકાંડનો આક્રમક વિરોધ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં ઠેરઠેર દેશી -વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ જાેવા મળી રહ્યું છે ત્યારે તાજેતરમાં ગુજરાતના બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે જેમાં ૫૦ ઉપરાંત લોકો ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીને મૃત્યુ પામ્યા છે. જેને લઈને લોકોમાં સરકાર સામે ભારે આકોશ ફેલાયો છે ત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષ દ્વારા પણ સરકારને ઘેરવામા આવી રહી છે.જેમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારની નિષ્ફળતા સામે ભારે આકોશ વ્યક્ત કરી સમગ્ર ગુજરાતમાં આક્રમક દેખાવો કરીવિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ડીસા શહેરમાં પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને જિલ્લા પ્રમુખ ડો.રમેશભાઈચૌધરીના નેતૃત્વમાં આમ આદમી
પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સાંઈબાબા સર્કલ પાસે લઠ્ઠાકાંડના મામલે ભાજપ સરકાર સામે ઉગ્ર દેખાવો કરી ભારે વિરોધ
પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ સર્જાય છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારાવિરોધ પ્રદર્શન કરી વિશાલ રેલી યોજી નાયબ કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું અને વારંવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાય છે છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી તેથી આજે પણ ગુજરાતના દરેક ગામડે ગામડે અને શહેર શહેરમાં દેશી વિદેશી દારૂનું બુટલેગરો ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે તો તાત્કાલિક અસરથી ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.તેમજ સરકાર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં નહી આવે તો આંદોલન વધુ ઉગ્ર કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો.રમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે દારૂબંધી વાળા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય તે યોગ્ય નથી. અને જાે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીપરિસ્થિતિ જાળવી ન શકતા હોય તો તેમણે રાજીનામું આપવું જાેઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.