અમીરગઢના રબારીયાનો યુવક બબુકારી નદીમાં તણાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : અમીરગઢ તાલુકાના રબારીયા ગામે રહેતા નારાયણભાઈ ભાવાભાઈ ગમાર ઉ.વર્ષ.૨૨ રવિવારે સવારે પોતાના ઘરેથી ઢોરના કામથી નીકળ્યો હતો. તે બબુકારી નદીના પુલ પર થી પસાર થઈ રહ્યો હતો. ત્યારે શનિવારની રાતે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં અચાનક ધસમાતા પ્રવાહમાં યુવક ખેંચાઈ ગયો હતો. આજુ બાજુ ઉભેલા લોકો તેમના ઘરે જાણકારી આપે તે પહેલાં જ પાણીની આવક વધતા યુવક ધસમાતા પાણીના પ્રવાહમાં વધુ આગળ તણાઈ ગયો હતો ત્યારબાદ તેના ઘરવાળા આવીને તેની શોધખોળ કરવા છતાં કાંઈ જ અતોપતો મળ્યો ના હતો. ત્યાર બાદ સ્થાનિકો દ્રારા તેની શોધખોળ કરવામાં આવી પરંતુ યુવકનો કોઈ જ પતો ના લાગતા તેના પરિવારવાળાએ દાંતીવાડા શોધખોળ કરી પરંતુ ત્યાં પણ કોઈજ માલુમ ના પાડતા પાછા ફર્યા હતા. આજે સવારે યુવકની લાશ નદીના પટ પરથી મળી આવી હતી. લાશને જોતા જ લોકોએ પરિવારજણોને અને પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસે ઘટના સ્થળે જઈ લાશને અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ લાશને પરિવારજનોને સોપવામાં આવી હતી. રવિવારે નદીના પટ પરથી તણાઈ ગયેલો યુવક મંગળવારે બબુકરીના કિનારા પરથી મૃત હાલતમાં મળી આવતા પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.