કાંકરેજ તાલુકાના થરા- ઉણ વચ્ચે ટ્રક – રિક્ષા અથડાતાં મહીલાનું મોત
કાંકરેજ તાલુકાના થરા -ઊણ વચ્ચે ગઈકાલે નેશનલ હાઈવે નંબર ૨૭ના પુલ ઉપર રિક્ષા અને ટ્રક ટકરાતા મહીલાનું મોત થયું હતું.
નેશનલ હાઈવેનાં ઝાડ કટીગનું કામ કરતા મજૂરો રીક્ષામાં બેસીને પોતાનાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક નં. જીજે-૧૨ એડબલ્યુ
૭૯૩૨ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતાં અને એક મહીલાનું ઘટના સ્થળે મુત્યુ થયુ હતું. ઘાયલ
વ્યક્તિઓને થરા રેફરલ હોસ્પિટલમાંમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતાં તે પૈકીના ત્રણ વ્યક્તિને થરા હોસ્પિટલમાં દાખલ કર્યા અને બે વ્યક્તિને વઘુ ઈજા ગ્રસ્ત હોવાથી તેમને ધારપુર હોસ્પિટલ તરફ રિફર કરવામાં આવ્યા હતાં હોવાનું જાણવા મળે છે. અને મુત્યુ પામેલા હતભાગી મહીલા ભલગામ નંદાબેન નારખણભાઈ મુનેચા ઉ. વ. ૩૦ જેના મૃતદેહને થરા રેફરલ હોસ્પિટલમાં પી એમ અર્થે લાવી
પીએમ કરાવી તેના વાલીવારસને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે.