![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/03/Diyodar-Kenal-01.jpg)
દિયોદરમાં વહેલી સવારે કેનાલમાં પગ લપસી જતાં પાણીમાં ડૂબવાથી મહિલાનું મોત
દિયોદર પંથકમાં એક મહિલા કેનાલમાં ગરકાવ થઇ જતાં મોત થયાનું સામે આવ્યુ છે. આજે વહેલી સવારે ભાભર પંથકની મહિલાનું ડૂબી જવાની મોત થયુ હોવાની વાત પંથકમાં પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મહિલા અસ્થિર મગજની હોવાનું અને પાણી પીવા જતાં ડૂબી ગઇ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે દોડી આવી આ મામલે આગળની કવાયત હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના દિયોદરની લુંદ્રા કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી છે. આજે વહેલી સવારે એક આધેડ મહિલાની કેનાલમાંથી લાશી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ આ મહિલા ભાભરની હોવાનું અને તેમનું નામ ભગવતિબેન રસીકલાલ મોચી હોવાનું સામે આવ્યુ છે. આ સાથે મહિલા અસ્થિર મગજના હોઇ પાણી પીવા જતાં પગ લપસ્યો હોઇ પાણીમાં ગરકાવ થતાં મોત થયુ હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.