દાંતામાં નવાવાસ ગામેથી એક અનોખી ઘટના સામે આવી : પરિવાજનો દ્વારા મામલતદાર કચેરીમાં ધરણાં કરવામાં આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતામાં નવાવાસ ગામેથી એક અનોખી ઘટનાસામે આવી હતી. આ ઘટના બાદ ના લોકો આશ્ચર્યમાં મૂંકાયા હતા. કારણ કે નવાવાસ ગામમાં વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું આકસ્મીક મોત નિપજ્યું હતું. આ મૃત વ્યક્તિની આશરે વય 45 વર્ષ હતી. ત્યારે પરિવારજનો દ્વારા અંતીમ સંસ્કારના ભાગરૂપે મૃતદેહને દફનવિધિ કરવા માટે સ્મશાન લઈ ગયા હતાં.પરંતુ પરિવાજનોને મૃતદેહ માટે યોગ્ય જગ્યા ન મળતાં રોષ જોવા મળ્યો હતો. ત્યાર બાદ પરિવાજનો દ્વારા દાંતા મામલતદાર કચેરીમાં ધરણાં કરવામાં આવ્યા હતાં. જો કે પરિવારજનોએ આ ધરણાં મૃતદેહ સાથે જાહેરમાં કર્યા હતાં. પરિવાજનો દ્વારા મામલતદાર કચેરીની બહાર હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા હતા.


પરંતુ પરિવારજનો દ્રારા જ્યારે ધરણાં કરવામાં આવી રહ્યા હતાં, ત્યારે કચેરીમાં તલાટી અને સરપંચ કે કોઈ પણ સત્તાધિશ અધિકારી કચેરીમાં હાજર ન હતાં.આ પરિસ્થિતિ પરિવારજનો સહિત ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તમામ ગ્રામ્યજનોએ આ ઘટનાને લઈને તંત્રની નિંદા કરી હતી. તે ઉપરાંત ધરણાંમાં પણ જોડાયા હતાં. હાલમાં, લોકો દ્વારા તંત્ર સામે ન્યાય માટે પુકાર કરવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં એ જોવાનું રહ્યું કે ક્યારે ન્યાયનો ઉદય થશે ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.