થરાના ઊંદરિયાવાસ પ્રા.શાળામાં સ્વાતંત્ર દિને શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના ઊંદરિયવાસ પ્રાથમિક શાળામાં 21 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા જયંતીભાઈ કચરાભાઈ પટેલ શિક્ષણના 21 વર્ષ પૂર્ણ કરીને તેમની અન્ય શાળામાં બદલી થતાં શાળામાં તેમનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામના વડીલો અને યુવાનો દ્વારા શિક્ષક જયંતીભાઈને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી અને ચાંદીની મૂર્તિ આપી એમને સન્માનિત કર્યા હતા. આખા ગામના બાળકો અને ગામના દરેક સભ્યો તેમની વિદાયમાં રડવા લાગ્યા હતા અને ભાવુક થયા હતા. શાળા સ્ટાફના શિક્ષકોએ આ કાર્યક્રમને વેગ આપ્યો હતો. આ પ્રસંગે તાલુકા સદસ્ય પરબતજી ઠાકોર, ડૉ.વનરાજ ઠાકોર, ડૉ.દિનેશ ઠાકોર, અરવિંદ ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે દીપકભાઈ જોષી દ્વારા આખા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.