સરકારી ગ્રાન્ટ વગર જ પાલનપુરના માનસરોવર તળાવમાં શિક્ષકે શ્રમદાન કરી 25 ટકા સાફ કરી દીધું

બનાસકાંઠા
બનાસકાંઠા

માનબાઈની યાદમાં પાલનપુરમાં નવાબ સાહેબે તળાવ ખોદાવ્યું હતું અને માનસરોવર નામ અપાયું હતું. અગાઉ વરસાદી પાણીથી ભરાતા તળાવમાં કેટલાક વર્ષોથી ગટર પાણી પાલિકા દ્વારા વાળવામાં આવ્યું અને કેટલાય વર્ષોથી તળાવ ગંદા પાણીથી ભરેલું છે. તેવામાં કેટલાક મહિનાઓ અગાઉ અચાનક જળકુંભી આખા તળાવ પર ફેલાઈ જતા તળાવની અંદર રહેલા જીવજંતુઓના જીવ સામે જોખમ ઊભું થતા પાલનપુરના ક્લાસીસ સંચાલક રવિ સોનીએ જાતે બીડું ઉપાડી જળકુંભી હટાવવા પ્રયાસો કર્યા હતા.

બે મહિના સુધી હાથેથી જળકુંભી કાઢવા છતાં ધારી સફળતા ન મળતા આખરે લોકભાગદારીથી મશીનરી મંગાવી જળકુંભી કાઢવા ની કામગીરી આદરી હતી વેલને નજીક લાવવા માટે હોડકાનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. હાલ એક પણ સરકારી સહાય વિના 25 ટકા જળકુંભી તળાવમાંથી નીકળી ગઈ છે. રવિભાઈ સોનીએ જણાવ્યું કે મારો આશય માત્ર તળાવની અંદર રહેલા જીવો ને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે જળકુંભી હટાવવા નો હતો મને એમાં ઘણા બધા મિત્રો અને શહેરના અગ્રણીઓએ આ કાર્યમાં સહકાર આપ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.