ડીસામાં હિન્દુ સમાજના લોકો પર થતા હુમલાઓ સામે રક્ષણ માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

હિન્દૂઓ પર વધી રહેલી હુમલાઓની ઘટના સામે હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે, ત્યારે હરિયાણાના મેવાતમાં ધાર્મિક યાત્રા પર થયેલ હુમલા સહિતની ઘટનાઓના વિરોધમાં આજે ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.હરિયાણાના મેવાતમાં હિન્દુ સમાજની ધાર્મિક યાત્રા પર લોકોના ટોળાએ હુમલો કરતા સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આજે ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરોએ ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો અને ડીસા શહેર મામલતદાર બી. ડી. બોડાણાને આવેદનપત્ર આપી હુમલો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની કરવા રજૂઆત કરી હતી. હિન્દુ સમાજના ધાર્મિક તીર્થસ્થાનો અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ લોકોની રક્ષા કરવા માટેની માંગ કરી છે.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડીસા વિભાગના પ્રમુખ વિનોદ લોધા અને ડો. સુરેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દિવસેને દિવસે હિન્દુ સમાજના લોકો, તેમના ધાર્મિક સ્થળો અને ધાર્મિક કાર્યક્રમોમાં હીચકારા હુમલાઓની ઘટના વધી રહી છે. જેના વિરોધમાં અમે આવેદનપત્ર આપી દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરીએ છીએ કે, હુમલો કરનારા તત્વોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ સમાજના લોકો, ધાર્મિક સ્થળો અને કાર્યક્રમોમાં સુરક્ષા પૂરી પાડવામાં આવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.