ડીસામાં મોહરમ તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરના દક્ષિણ પોલીસ મથક ખાતે મુસ્લિમ સમાજના મોહરમ તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં તાજીયાના ઝુલુસ દરમિયાન હથિયારનો ઉપયોગ ન કરવા માટે પોલીસ અધિકારી દ્વારા આગેવાનોને સૂચના આપવામાં આવી હતી.મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાંનો એક મોહરમ તહેવાર છે. ઈતિહાસમાં જણાવ્યા મુજબ મોહરમ મહિનાની પયગંબર હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેણે ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું. આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા. મોહરમના દિવસે ઇસ્લામ ધર્મના શિયા સમાજના લોકો તાજીયા કાઢીને શોક મનાવે છે ત્યારે ડીસામાં આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુ સંગઠનો અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ શક્તિસિંહ ગોહિલે મોહરમ દરમિયાન કોઈપણ પ્રકારના હથિયારનો ઉપયોગ ન કરવા માટે મૌખિક સૂચના આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોહરમ તહેવારને લઈ શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના સંગઠનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોહરમ તહેવારને લઈ પોલીસ સહિત તંત્ર પણ સજ્જ છે અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તે માટે પોલીસે આગેવાનોને અપીલ કરી હતી અને આગેવાનોએ પણ તહેવારને શાંતિપૂર્ણ ઉજવવાની ખાતરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.