‘ચોમાસા દરમિયાન થતા સામાન્ય રોગ’ વિષય પર એક દિવસીય તાલીમ યોજાઈ
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં આસ્પી પોષણ અને કોમ્યુનીટી સાયન્સ મહાવિધાલયના વિસ્તરણ શિક્ષણ અને પ્રસારણ વ્યવસ્થા વિભાગ હેઠળ ગ્રામીણ મહિલા તાલીમ અને સશક્તિકરણ કેન્દ્ર ધ્વારા તા.૩૦/૦૮/૨૦૨૨ ના રોજ ડીસા ગામની ગ્રામીણ મહિલાઓ માટે “ચોમાસા દરમિયાન થતા સામાન્ય રોગના કારણ અને નિવારણ”ના વિષય પર એક દિવસીય તાલીમનુ આયોજન કરેલ હતું.તાલીમની શરૂઆત લેફટ. ડૉ.સિમ્પલ જૈન, મદદનીશ પ્રાધ્યાપકે ગ્રામીણ મહિલાઓનું સ્વાગત કરી કેન્દ્રની કામગીરીની જાણકારી આપી. ત્યારબાદ ડૉ.સિમ્પલ જૈને ચોમાસામાં થતા રોગો, સ્વચ્છ પીવાના પાણીનું મહત્વ, અને શુદ્ધિકરણ ની પદ્ધતિઓની વિસ્તૃત માહિતી આપી હતી. આભાર અભિવ્યક્ત ભગત સુનીલ કર્યો હતો. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ડૉ.સિમ્પલ જૈન ધ્વારા કરવામાં આવ્યું હતું.