![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/પાલનપુર-ની-તિરુપતિ-રાજનગર-hed.jpg)
પાલનપુર ની તિરુપતિ રાજનગર સોસાયટી દ્વારા ૮૦૦૦ ફૂટ ના પ્લોટ માં સ્મૃતિ વન બનાવવામાં આવશે
૮૦૦૦ ફૂટ ના પ્લોટ માં સ્મૃતિ વન બનાવવામાં આવશે: પાલનપુર ની તિરુપતિ રાજનગર સોસાયટી દ્વારા આજ રોજ પોતાની સોસાયટી નું સ્મૃતિ વન બનાવવા ની શરૂઆત કરવામાં આવી છે. જે જગ્યા એ સ્મૃતિ વન બનાવવામાં આવી રહ્યું છે તે જગ્યા ૮૦૦૦ ફૂટ છે. પાલનપુર ના સૌથી પોશ વિસ્તાર ન્યુ પાલનપુર માં આવેલી આ જગ્યા ની હાલ ની કીમત મુજબ અઢી કરોડ થી પણ વધુ થાય છે. જીલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલ અને ધારાસભ્ય અનિકેત ભાઈ ઠાકર ની ઉપસ્થિતિ માં આજે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે શહેર ની વચ્ચે સોસાયટી પોતાનું સ્મૃતિ વન બનાવી વૃક્ષો માટે ના અદભુત અભિગમ ને લોકો બિરદાવી રહ્યા છે.
ઉત્તર ગુજરાતની સૌથી મોટી સોસાયટી તિરુપતિ રાજનગર માં હાલ હયાત ૫૦૦૦ થી વધુ વૃક્ષો સાથે સૌથી હરિયાળી સોસાયટી છે. વધુ ૧૫૦૦ વૃક્ષો વાવી ને આખા વિસ્તાર ને ગ્રીન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે સોસાયટીના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વૃક્ષો નું શું મહત્વ છે એ અમને વહેલા ખબર પડી ગઈ છે. અહીંયા બધા દેશી કુળ ના વૃક્ષો વાવવામાં આવશે. જેના પર પક્ષીઓ રહી શકે ઉંબરો, પીપળ, બોરસલી,ગુંદા,લીમડો વગેરે અલગ અલગ ૧૫૦૦ વૃક્ષો વાવી અને ઉછેરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સોસાયટી ના તમામ લોકો જાતે શ્રમ દાન થકી ઉગાડવાનું નક્કી કર્યું છે.