ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ અંતર્ગત જીલ્લા કક્ષાની સમિતિઓના આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૨૪થી ૧૮/૦૯/૨૦૨૪ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ મા જગદંબાના દર્શનાર્થે પધારનાર છે. માઈભક્તો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવા સંગઠનો દ્વારા માઈભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે.

જેમાં સ્વચ્છતા, સલામતી અને કાયદો, આરોગ્ય, ઈમરજન્સી સારવાર, રસ્તા મરામત,પાણી પુરવઠા, વિધુત્ત પ્રવાહ, પાર્કિંગ , રહેઠાણ, ભોજન, પ્રસાદ, પ્રચાર – પ્રસાર વગેરે સમિતિઓની કામગીરી બાબતે ચર્ચા કરી તેમની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આજની બેઠકમાં જીલ્લા પોલીસ અધીક્ષક, જીલ્લા વિકાસ અધિકારી, વહીવટદાર અંબાજી મંદિર, જીલ્લાના પ્રાંત અધિકારીઓ તેમજ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.