દાંતીવાડાના પાંસવાળ ગંગેસ્વર ધામ ખાતે જીલ્લા ભાજપ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા ના પાંથાવાડા નજીક પાંસવાળ ખાતે સીપુ નદી ના તટે આવેલ પૌરાણીક ગંગેસ્વર મહાદેવ ના પ્રાંગણ મા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહીત મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ સિંહ વાઘેલા એ પૌરાણીક મંદિર ગંગેસ્વર મહાદેવ ના દર્શન કરી સીપુ નદી ના તટે જઈ સીપુ મૈયા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પાર્ટી ના સંગઠન કાર્યકર્તા ઓ સાથે સીધો સંવાદ કરી મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર ૨૦૨૪ ની લોકસભા ની ચુંટણી ને ધ્યાને રાખી પાર્ટી ના સંગઠન ને મજબૂત બનાવવા માટે સૌ કાર્યકર્તા આગેવાનો ને આહવાન કર્યુ હતું. આ મીટીંગ મા જીલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ સિંહ વાઘેલા, ધાનેરા મત વિસ્તાર ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઇ, તાલુકા ભાજપ પ્રમુખ ગણપત ભાઈ રાજગોર, તાલુકા પંચાયત ઊપ પ્રમુખ રમેશભાઈ ઘાડિયા તાલુકા ભાજપ મહા મંત્રી હરજીભાઈ ભૂતડીયા તેમજ પાર્ટી ના હોદ્દેદારો,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.