ટેટોડા ગૌશાળા ખાતે જિલ્લાની ગૌશાળા – પાંજરાપોળના સંચાલકોની બેઠક મળી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠાની વિવિધ ગૌશાળા અને પાંજરાપોળમાં અંદાજે ચાર હજાર જેટલા અબોલ પશુ જીવો આશરો લઈ રહ્યા છે. દાતાઓની સખાવત અને સરકાર દ્વારા મળતી સહાય ઉપર ગૌશાળા અને પાંજરાપોળ ર્નિભર છે. જોકે તાજેતરમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન દાતાઓ દ્વારા મળતું દાન બંધ થઈ ગયું છે. આ ઉપરાંત સરકાર દ્વારા મળતી સહાય પણ લંબાવાઈ જતા અબોલ પશુ જીવોની હાલત કફોડી બની ગઈ છે. આ મામલે સંચાલકો દ્વારા અવાર નવાર બેઠક યોજી સરકારને રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ સરકાર દ્વારા સહાય ન ચૂકવાતા આંદોલન છેડવાનો ર્નિણય લેવાયો છે ત્યારે રવિવારે ટેટોડા રાજારામ ગૌશાળા ખાતે સમગ્ર જિલ્લાના સંચાલકોની એક બેઠક મળી હતી. જેમાં આજે એસડીએમ સાથે બેઠકના આયોજન સાથે તમામ પશુઓ તબક્કાવાર રીતે સરકારી કચેરીઓમાં છોડી મુકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.