યાત્રાધામ અંબાજીમાં આજે મોટી સંખ્યામાં લોકો બાજારમાં ઉમટ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે રક્ષાબંધન છે અને રક્ષાબંધન નિમિત્તે મોટી સંખ્યામાં લોકો અંબાજીના બજારમાં ઉમટી પડ્યા હતા. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી જનજાતી વસવાટ કરે છે. તો યાત્રાધામ અંબાજીના આજુબાજુના વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી જનજાતિ વસે છે. કોઈપણ ઉત્સવ કે પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો અંબાજીના બજારોમાં ઉમટી પડતા હોય છે.


આજે રક્ષાબંધન નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી જનજાતિના લોકો અંબાજીના બજારોમાં ઉમટી પડ્યા હતા. આદિવાસી જનજાતિના લોકો પોતાની પરંપરાગત વેશભૂષા સાથે અને આભૂષણના પહેરીને અંબાજીના બજારોમાં આવ્યા હતા. આજે સમગ્ર અંબાજીના માર્ગો પર માનવ મેરામણ ઉમટી પડ્યું હતું જેને લઇને અંબાજીના બજારોમાં રોનક છવાઈ હતી. રક્ષાબંધન નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાની ખરીદારી કરવા માટે અંબાજીના બજારોમાં આવ્યા હતા. આજે મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરતા અંબાજીના સ્થાનિક વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. આદિવાસી સમાજના લોકો કોઇપણ પર્વ હોય કે ઉત્સવ હોય પોતાની પરંપરાગત વેશભૂષા અને આભૂષણો પેહરી ધૂમધામ થી ઉત્સવમાં ભાગ લે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.