અંબાજીમાં દશામાં ની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજીમાં મા જગતજનની અંબાનું ભવ્ય મંદિર બિરાજમાન છે. મા અંબા સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. યાત્રાધામ અંબાજી ખાતે અનેકો દેવી-દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે. માતાજીના ધામે કોઈપણ ઉત્સવ કે પ્રસંગ નિમિત્તે ધૂમધામથી ગ્રામજનોના સહયોગથી ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આજે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દશામાની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.

આજે અંબાજીમાં દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજે સવારે દશા માતાની આરતી અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી નગરમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દશા માતાના ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. ડીજેના તાલે નાચતા ગાતા ભક્તોએ ઉત્સાહપૂર્વક દશા માતાજીની શોભાયાત્રાની ઉજવણી કરી હતી. આજે બપોરે દશા માતાજીની ભવ્ય રથ અને ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. માતાજીના ભક્તોએ ગરબા ઝૂમતા નજરે પડ્યા હતા.

અંબાજીમાં ભાટવાસમાં દશા માતાનું ભવ્ય મંદિર આવેલું છે. દશા માતાના આજે વ્રત પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે માતાજીના ભક્તો દ્વારા ધુમધામથી શોભાયાત્રા અંબાજી નગરમાં કાઢવામાં આવી હતી. અંબાજીના વિવિધ માર્ગોથી પસાર થઈને શોભાયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે રાત્રે રાસ ગરબા અને જાગરણનું કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું છે. દશા માતાના ભક્તો અને અંબાજીના ગ્રામજનોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ 25 વર્ષથી સફળતાપૂર્વક કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.