પાલનપુર ખાતે કલેક્ટર વરૂણ કુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓએ પૂછેલા પ્રશ્નોના પાઠવેલ જવાબો પરત્વે અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરએ અધિકારીઓને તમામ જનપ્રતિનિધિઓ તથા પદાધિકારીઓને એમના પ્રશ્નોના જવાબ ઈમેલ પર અચૂક મળી જાય એની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યઓ દ્વારા માર્ગ-મકાન, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, ભૂસ્તર વિભાગ, રેલ્વે સહિતના વિવિધ વિભાગોની રજૂઆત અંગે અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. કલેકટર વરૂણકુમાર બરનવાલે તમામ પ્રશ્નોની સમીક્ષા કરી સરકારી વિભાગો વચ્ચેના સંકલનને સુદ્રઢ બનાવી જલ્દી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, કાંતિભાઇ ખરાડી, માવજીભાઈ દેસાઈ, અમૃતજી ઠાકોર, જીજ્ઞેશભાઇ મેવાણી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ, નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યા, પ્રોબેશનર મદદનીશ કલેકટર સ્વપ્નિલ સિસ્લે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ.શેખ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.