મહાસુદ બીજના દિવસે યાત્રાધામ અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. જેને લઈને દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ધામે પહોંચ્યા હોય છે. મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. યાત્રાધામ અંબાજીમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે. જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ કાર્યક્રમોને સફળ બનાવતા હોય છે અને ધૂમધામથી તેની ઉજવણી પણ કરતા હોય છે. આજે અંબાજી ખાતે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી.

આજે મહાસુદ બીજના દિવસે યાત્રાધામ અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રા અંબાજીના ભાટવાસ વિસ્તારમાં આવેલા બાબા રામદેપીરના મંદિરથી નીકળી અંબાજીના બજારો સહિત વિવિધ વિસ્તારોથી પસાર થઈ હતી. મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા.

ડીજે, બેન્ડ, બગી, ઊંટ પર શોભાયાત્રા નીકળતા સમગ્ર અંબાજી ભક્તિમય બની હતી. આજે મહાસુદ બીજના દીવસે અંબાજીમાં બાબા રામદેવપીર મંદિરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. આજે ભોજન ભંડારો અને રાત્રે રાજસ્થાની ગાયક કલાકાર દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.