અમીરગઢના વેરા ગામે ભારે વરસાદથી એક ખેડૂતનું મકાન ધરાશાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : ભારે વરસાદને લઇ અમીરગઢના વેરા ગામે એક ખેડૂતનું મકાઅન ધરસાઈ થતા ઘરમાં પડેલા ઘઉં બાજરી સહિતનો સામાન પલળી જતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. અમીરગઢ તાલુકામાં વરસાદના પગલે નદી નાળા છલકાયા છે દરમ્યાન રાત્રે પડેલા વરસાદમાં એક ખેડૂતનું ઘર ધરસાઈ થતા ખેડૂત પરિવાર રજળી પડ્યો હતો. રાત્રી દરમિયાન ક્યાંક ઝરમર ઝરમર વરસાદ તો ક્યાંક પવન સાથે વરસાદ પડતાં ખેડૂતને રેવાનું ઘર તૂટી પડ્યું હતું. વેરા ગામના ખેડૂત ઉષાભાઈ પોતાના ઘરે રાત્રે સૂતા હતા તે સમયે અચાનક પવન સાથે વરસાદ વરસતા ખેડૂત પરિવાર ઘરની બહારઆવી ગયો હતો. પરંતુ આ પરિવારનું ઘર જમીન દોસ્ત થઈ ગયું હતું. જેથી ઘરમાં પડેલો સામાન પલળી જતા આ પરિવારને મોટું નુકશાન થયું હતું. જોકે સદ્‌ નસીબે પરિવાર ઘરની બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.