થરાદના ઈઢાટાના ખેડૂતનું વિજકરંટથી મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકાના ઇઢાટા ગામે ખેતરમાં પાઇપ લાઇનની કામગીરી કરી રહેલા એક ખેડુતનું વિજકરંટથી મોત નિપજતાં ગામ અને પંથકમાં અરેરાટી મચવા પામી હતી.
પ્રાપ્ય માહિતી મુજબ શુક્રવારના સુમારે થરાદ તાલુકાના ઇઢાટા ગામના ખેડુત લખમણભાઈ લગધીરભાઈ રબારી પોતાના ખેતરમાં કેનાલના પાણી માટેની પાઈપલાઈન નાખી રહ્યા હતા. આ વખતે ઉપર પસાર થઈ રહેલા વિજતારને લોખંડની પાઈપ અડી જતાં કરંટ લાગ્યો હતો. આથી તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. વિજકરંટ લાગતાં કુટુંબીઓએ થરાદની ૧૦૮ને જાણ કરી હતી.જેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ ડા.કુલદીપ માથુરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને પંથકમાં અરેરાટી મચવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.