મડાણા (ડાંગિયા) ગામની પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના બુકોલી ગામની અને હાલમાં મડાણા(ડાંગિયા) ગામની પરણીતાએ પોતાની જેઠાણી સાથેના સંબંધોને લઈને પતિ સાથે પૂછપરછ કરતા પતિ મારઝૂડ કરતો હતો. જોકે, પતિ સહિતના સાસરિયાઓના ત્રાસથી ત્રસ્ત પરિણીતાએ ગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાંકરેજ તાલુકાના ઉણ(માનપુર) ગામની મૂળ વતની અને હાલમાં અમદાવાદના બહેરામપુરા સંત રોહિદાસની ચાલીમાં રહેતી સુમિત્રાબેન રામસિંગભાઈ પરમારના લગ્ન કાંકરેજ તાલુકાના બુકોલી ગામના વતની અને હાલમાં એસ.આર.પી ગ્રુપ-3, મડાણા (ડાંગિયા) ખાતે રહેતા દિનેશભાઇ માવા ભાઈ પરમાર સાથે 12 વર્ષ અગાઉ થયા હતા. જેઓને સંતાનમાં 10 વર્ષની દીકરી અને અઢી વર્ષનો દીકરો પણ છે.જોકે, પોતાના પતિને પોતાની જેઠાણી સાથે ખોટો સંબંધ હોવાનો શક જતા તેણીએ પતિને પૂછતાં તેઓએ મારઝૂડ કરી હતી. ત્યારબાદ પતિ સાથે તેના સાસરિયાઓ પણ શારીરિક માનસિક ત્રાસ આપતા પીડીતાએ ગઢ પોલીસ સ્ટેશને પતિ દિનેશભાઇ માવાભાઈ પરમાર સહિત સાસરી પક્ષના 07 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.