દાંતા તાલુકાના ખેરમાળ ગામે બાળક તળાવમાં ડૂબતા મોત
દાંતા તાલુકામાં ગતરોજ પિતા-પુત્રનું નદીમાં તણાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે આજરોજ ફરી એકવાર દાંતા તાલુકામાં એક બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે. ચાર દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે જેમાં પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. આજરોજ દાંતા તાલુકાના ખેરમાલ નજીક તળાવમાં એક બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. દાંતા તાલુકાના ખેરમાળ ગામે તળાવમાં ગમાર અર્જુનભાઈ ડૂબી જવાથી થયું મૃત્યુ થયું હતું. આજે સવારે 9:00 વાગ્યે ઘરેથી ખેરમાળ ગામે આવેલા તળાવ નજીક બકરા ચરાવવા ગયેલા હતા. ત્યારે આજુબાજુ તળાવ નજીક બકરાઓને પાણી પીવડાવતા હતા અને તેઓ તળાવમાં નાહવા જતા તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. દાંતાના ખેરમાળ નજીક તળાવમાં ડૂબી જવાથી અકસ્મિત મૃત્યુ થયું હતું. આજે ગામના તરવૈયાઓ દ્વારા બાળકનું મૃત શરીર બહાર નીકાળવામાં આવ્યું. દાંતા તાલુકાના ખેરમાલ નજીક બાળક તળાવમાં ડૂબીને મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લહેર પ્રસરી હતી.