ડીસા તાલુકાના રાણપુર વચલોવાસ ગામે ધારાસભ્યની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ ડીસા તાલુકાના રાણપુર વચલોવાસ ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા રથનું ઉષ્માહભેર સ્વાગત કરાયું હતું. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત યોજાયેલા સમારોહમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ના વરદ હસ્તે સહાય કીટ, આયુષ્યમાનકાર્ડ, આવાસ યોજનાની ચાવી સહિતના લાભો આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સૌનો સાથ અને સૌનો વિકાસ થકી આ રથ ભારતના ગામે ગામે પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો. તેમજ ઘરઆંગણે મોદી સરકારની ગેરંટી વાળી ગાડી આવે છે ત્યારે પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય એની તકેદારી રાખી લોકોને લાભ લેવા અપીલ કરી હતી.
રથ દ્વારા ગામમાં કુલ 498 જેટલા લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી. જેમાં 8 લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 8 લાભાર્થીઓને નવા કનેક્શન માટે કે.વાય.સી લેવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ટી. બી.ના 9 દર્દી અને 48 દર્દીઓના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા. તેમજ 408 લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.આ રથ દ્વારા સરકારએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારની સિદ્ધિઓ- ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાણપુર ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, અને ગ્રામ અગ્રણીઓએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને પ્રેરણા પુરી પાડી હતી.