અમીરગઢના કેદારનાથ ડેમમાં પાલનપુરનો ૨૨ વર્ષીય યુવક ડૂબ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢના કેદારનાથ જેસોર હિલ સ્ટેશન ખાતે પાલનપુરથી ચાર યુવાનો નાહવા માટે આવ્યા હતા. કેદારનાથ મહાદેવ મંદિરના
લઘુ સિંચાઇ ડેમમાં નાહવા પડેલ ચાર યુવકમાંથી એક યુવક કલ્પેશપૂરી રમેશપૂરી ગૌસ્વામી ઉંમર ૨૨ રહે. વાસડા ફતેપુર તા પાલનપુર આગળ જતો રહ્યો હતો અને તરતા ન આવડતા ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. જ્યારે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ સ્થાનિક તરવૈયાની મદદથી મૃતકને બહાર કાઢી પરિવારને જાણ કરાઈ હતી. જાેકે, પરિવારને પીએમ કરવાની ના પડતાં પોલીસે લાશને પરિવારને સોંપી હતી. હાલમાં જ પોલીસ તરફથી નદી નાળા તળાવ અને ડેમ નજીક ના જવાની તાકીદ કરવામાં આવી હતી ત્યારે ઇકબાલગઢના જસોર વન્ય અભિયારણ ખાતે આવેલ લઘુ સિંચાઇ ડેમમાં ચાર મિત્રો નાહવા પડ્યા ને એક મિત્ર આગળ ઊંડા પાણીમાં જતાં તરતા ન આવડતું હોવાથી મૃત્યુ પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.