પાલનપુર તાલુકાના ૮૭ તલાટીઓ પણ હડતાળના માર્ગ ઉપર ચાલ્યા
તલાટીઓની પડતર માંગણીઓ અંગે સરકાર દ્વારા કોઈ ઉકેલ ન આવતા અંતે રાજ્યભરના તલાટીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. ત્યારે
સરહદી બનાસકાંઠા જિલ્લાના પણ ૬૨૫ તલાટીઓ હડતાળમાં જાેડાયા હતા. જેમાં પાલનપુર તાલુકાના ૮૭ તલાટીઓ પણ હડતાળમાં જાેતરાતા ગામડાઓમાં પંચાયતને લગતી કામગીરી ખોરવાઈ ગઈ હતી.પાલનપુર તાલુકાના ૮૭ તલાટીઓ પણ પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્ય મહામંડળના આદેશ મુજબ આજે ૨જી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં હડતાળ પર ઉતરેલા ૮૭ તલાટી ઓએ પોતાની ગ્રામ પંચાયતની ચાવીઓ અને સિક્કા જમા કરાવી જ્યાં સુધી માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી હડતાળ જારી રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.