મલાણા ગામમાં વહી જતા વરસાદી પાણીથી ૬૦ કુવા ‘રિચાર્જ’ કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના મલાણા ગામના ખેડૂતો દ્રારા વહી જતા વરસાદી પાણી નો ભૂગર્ભમાં સંગ્રહ કરવા જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં હાલ સોમાસુ સીઝનમાં ગામમાં વરસાદી પાણીથી કુવા રિચાર્જ કરવામાં આવી રહ્યા છે. અને વધુ માં વધુ ખેડૂતો વરસાદી પાણી થી પોતાના કુવા અને બોરવેલ રિચાર્જ કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં ભૂગર્ભમાં પથ્થર આવતો હોઇ અહીં મોટાભાગે બોરવેલ ફેઈલ થઈ રહ્યા છે. તેંમજ ભૂગર્ભ જળ ઉંડા ગયા હોઇ અહીં સિંચાઈ અને પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે. ત્યારે મલાણા અને આજુબાજુના વિસ્તારમાં જળ સંકટ હળવું કરવા તેમજ ભૂગર્ભ જળ ઊંચા લાવવા ખેડૂતો દ્રારા જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને હાલ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી જે નકામું વહી જતું હોય છે.
તે ખેતરોનું પાણી પાઇપ લાઇન મારફતે સીધું કૂવામાં ઉતારી અવાવરું કુવાને રિચાર્જ કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ એકલા મલાણા
ગામમાં ૬૦ જેટલા કુવા વરસાદી પાણી થી રિચાર્જ કરાઈ રહ્યા છે અને ગામમાં વધુ ૨૦ કુવા રિચાર્જ કરવાની તૈયારી ઓ કરાઈ રહી છે જાેકે મલાણા ગામમાં જળ સંકટને નિવારવા માટે યુવાનોઅને ખેડૂતો દ્રારા વરસાદી પાણી નો પેટાળમાં સંગ્રહ કરવા જળ સંચયને વેગ આપવામાં આવી રહ્યો છે. જેને જિલ્લા પ્રસાસન દ્રારા પણ બિરદાવવામાં આવી રહ્યું છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.