![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/dc896582-3346-4946-9478-8dec60c9a3a4.jpg)
દાંતીવાડા ડેમમાં નર્મદાનું ૫૦ ક્યૂસેક પાણી નખાયું, ૮૭ ગામોને લાભ થશે
રખેવાળ ન્યુઝ દાંતીવાડા : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વિસ્તારમાં ઉનાળાના કપરા સમયને કારણે પાણીના તળ નીચા જવાથી પાણીની વિકટ સમસ્યાનું સર્જન થયું છે. ત્યારે દાંતીવાડા ડેમમાં ૫૦૦ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નાખેલી પાઇપ લાઇનમાં શનિવારે નર્મદાનું પાણી ચાલુ કરવામાં આવેલ. આ પાણી દાંતીવાડા ડેમમાં પાણી નાખવાથી સમગ્ર દાંતીવાડા તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ ન થતા આખરે દાંતીવાડા ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવ્યા છે. જ્યારે પાલનપુર અને ડીસા તાલુકાના ૮૭ ગામો અને ૩૯ પરામાં પીવા માટે પુરું પાડવામાં આવશે. બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ ૧૯૬૫ માં બનાવવામાં આવ્યો હતો. જેમાંથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ૧૧૧ ગામોને સિંચાઇ માટે પાણી પુરું પાડવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઓછા વરસાદને લઇ ડેમમાં પાણી ઓછું થઇ ગયું હતું. ડેમની કુલ સપાટી ૬૦૬, ભયજનક સપાટી ૬૦૪ અને હાલની સપાટી ૫૩૦.૧૦ છે. ડેમમાં નર્મદાનું પાણી લાવવા માટે એપ્રિલ-૨૦૧૫ માં ૫૦૦ કરોડના ખર્ચે નર્મદાની પાઇપ લાઇન દાંતીવાડા ડેમમાં નાખવામાં આવી હતી. આ નર્મદાનું પાણી આવનાર સમયમાં ૩૦/ ૬ સુધી નાખવામાં આવશે જ્યારે વરસાદ નહિવત થશે તો આવનારા સમયમાં પણ પાણી દાંતીવાડા ડેમમાં નાખવામાં આવશે તેવું વાય.એસ.પટેલે ટેલીફોનીક વાત કરતા
જણાવ્યું હતું.