![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/07/Rakhewal-275.jpg)
બનાસકાંઠામાં કોરોનાના 40 કેસ, હોસ્પિટલમાં દાખલ એકપણ નહી
જીલ્લામાં શુક્રવારે કોરોનાના 40 કેસ નોંધાયા હતા. જોકે, હોસ્પિટલમાં એકપણ દર્દી દાખલ નથી. શુક્રવારે એકજ દિવસમાં નવા 40 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર 2007, એન્ટીજન 731 મળી કુલ 2738 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી દાંતીવાડા 1, થરાદ 10, વાવ 1, ડીસા 1, વડગામ 6, પાલનપુર 10, કાંકરેજ 1, ભાભર 1 અને ધાનેરામાં 9 નવા કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જેની સાથે જીલ્લામાં એકટિવ કેસની સંખ્યા103 થઇ છે. જિલ્લામાં 17 દર્દીઓએ કોરોનાને હરાવી સ્વસ્થ થયા હતા. આ અંગે પાલનપુર સિવિલ સુપ્રિન્ટેડન્ટ ડો. સુનીલ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં વર્તમાન સમયે એકપણ પોઝિટિવ દર્દી દાખલ નથી.