બનાસકાંઠામાં વધુ ૪ વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં રવિવારે વધુ ૪ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડીસામાં ૩ જ્યારે પાલનપુરમાં ૧ મહિલા કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ પ્રસર્યો છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૧૪૨ એ પહોંચ્યો છે. જ્યારે ૬ વ્યક્તિઓના મોત થયા છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના એ પુનઃ માથું ઊંચક્યું છે. જ્યાં રવિવારે વધુ ૪ વ્યક્ત કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ડેરી રોડ નજીક આવેલી તુલસીવિલા સોસાયટીમાં રહેતા એક મહિલા ઉપરાંત ડીસામાં અસગરીપાર્ક, સનરાઇજપાર્ક વિસ્તાર સહિત ૩ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.  જિલ્લામાં કુલ દર્દીઓનો આંક ૧૪૨ એ પહોંચ્યો છે. જ્યારે ૬ વ્યક્તિઓના મોત થયા છે. દરમિયાન પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.