અંબાજી નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ, 2ને જામીન 2ના રિમાન્ડ મંજૂર

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજીમાં મોહનથાળમાં નકલી ઘીની ભેળસેળ મુદ્દે અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 4 લોકોની આ મામલે ધરપકડ કરી કોર્ટમાં હાજર કરાયા હતા. જેમાં 2ને જામીન મળ્યા તો 2ની રિમાન્ડ મંજૂર કરાઈ છે.અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ નકલી ઘીના કેસમાં મોહિની કેટરર્સના 4 લોકો કુલદીપ, સુનીલ, લાલસિંહ અને આલોકની ધરપકડ કરવામાં આવી હતી. સાબર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અંબાજી પોલીસે મોહિની કેટરર્સના 4 લોકોની ધરપકડ કરી હતી.આ તમામ લોકોને લઈને દાંતા કોર્ટમાં તેમને અંબાજી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 2 આરોપી આલોક, લાલસિંહને 10 હજાર બોન્ડ પર જામીન મળી ગયા હતા. જેથી તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા અને કુલદીપ અને સુનીલ નામના 2 આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


અંબાજીમાં પ્રસાદના ઘીમાં ભેળસેળ મામલે પોલીસની ભૂમિકા શંકાસ્પદઅંબાજીમાં પ્રસાદના ઘીમાં ભેળસેળ મામલે પોલીસની ભૂમિકા શંકાસ્પદઅંબાજી બાદ સુરતમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યોઅંબાજી બાદ સુરતમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતા.અંબાજી મંદીર ટ્રસ્ટના સ્ટાફે આજે 1200 કિલો મોહનથાળ પ્રસાદ બનાવ્યો અંબાજી મંદીર ટ્રસ્ટના સ્ટાફે આજે 1200 કિલો મોહનથાળ પ્રસાદ બનાવ્યોમહત્વનું છે કે આ મામલે અંબાજી મોહનથાળના પ્રસાદ માટેની કામગીરી મોહિની કેટરર્સ પાસેથી લઈ લેવામાં આવી છે. હવે પ્રથમ નોરતેથી આ પ્રસાદની કામગીરી અક્ષયપાત્ર નામની સંસ્થા કરશે. આ બધાની વચ્ચે આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દુષ્યંત સોની હજુ પણ ફરાર છે

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.