બનાસકાંઠામાં કોરોના વધુ ૩૯ કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કોરોના ના વધતા જતા કહેર વચ્ચે શુક્રવારે કોરોના ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૮૩૧ પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫૬ પહોંચ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન ગંભીર હદે વધી રહ્યું છે.જ્યાં શુક્રવારે પણ કોરોના વિસ્ફોટ થયો હતો. જ્યાં નવા ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૮૩૧ પહોંચી ગઈ છે.
આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, પાલનપુરમાં ૧૭, દાંતા ૩, વડગામ ૨, ડીસા ૧૧, ધાનેરા ૨, કાંકરેજ ૧, દિયોદર ૨, થરાદ ૧, કેસ નોંધાયો હતો. જોકે, કોરોનાના વધતા જતા કહેર વચ્ચે પણ લોકો બેફિકરા બનતા કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન ચિંતાજનક હદે વધતા તંત્ર પણ ચિંતા માં ગરકાવ થઇ ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.