બનાસકાંઠા જિલ્લામાં સિંચાઇ વિભાગના 304 તળાવમાં 3 લાખ ઘનમીટર પાણીનો સંગ્રહ થયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 64.91 ટકા વરસાદ વરસતા 70 ટકા પાણીની આવક થઈ છે જેનાં લીધે સિંચાઇ વિભાગના 304 તળાવમાં 3 લાખ ઘન મીટર પાણીનો સંગ્રહ થયો છે. સાર્વત્રિક મેઘમહેર થતાં તાલુકામાં આવેલા નદી, નાળા, કૂવા, તળાવો અને ચેકડેમોમાં વરસાદી પાણીની સારી આવકથઈ છે. અત્યાર સુધી સિઝનનો કુલ 640.84 મિલીમીટર એટલે કે સરેરાશ 64.91 ટકા વરસાદ નોંધાયો છે.

જેને કારણે તાલુકામાં આવેલા નદી, નાળા, કૂવા, તળાવો અને ચેકડેમોમાં નવા નીરની પુષ્કળ આવક થઈ છે. જિલ્લામાં આવેલા સિંચાઇ વિભાગ હસ્તકના 304 તળાવોમાં તળાવોમાં 70 ટકા પાણીની આવક થઈ છે. આ ઉપરાંત જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં પણ અવિરત નીર વહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આગામી શિયાળામાં ખેડૂતોને આ સિંચાઈનું પાણી ઉપયોગી બનશે.બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં સિંચાઈ વિભાગના 304 તળાવ આવેલા છે.જેમાં અમીરગઢમાં આવેલ 34 તળાવો 60 ટકા ભરાયા છે. દાંતા અને દાંતીવાડા તાલુકામાં 74 તળાવો 50 ટકા ભરાયા છે. ડીસા, પાલનપુર અને વડગામ તાલુકામાં આવેલા 64 તળાવો 40 ટકા પાણીથી ભરાયા છે, જ્યારે અન્ય તાલુકાના તળાવો 20 ટકા પાણીથી ભરાયા છેે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.