બનાસકાંઠાજિલ્લામાં 20 હજારથી રિસર્વેની અરજી પેન્ડિંગ કલેકટર કચેરી થી DLR કચેરી સુધી રેલી યોજી ધરણા કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં થયેલા જમીન સર્વેમાં ખામી રહ્યા બાદ હજારોની સંખ્યામાં ખેડૂતો દ્વારા રિસર્વે માટે અરજી કરવામાં આવી હતી. જેમાંથી 80 હજાર જેટલી અરજીનો નિકાલ થયાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે. હજી પણ 20 હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે. ત્યારે આજે ખેડૂત નેતા પાલ આંબલિયા દ્વારા કલેકટર કચેરીથી ડીએલઆર કચેરી સુધી રેલી યોજી ધરણા યોજ્યા હતા. ગુજરાતમાં થયેલી જમીન માપણીમાં અનેક ક્ષતિ રહી જતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ બનાસકાંઠા ડીએલઆર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બનાસકાંઠમાં 1 લાખ કરતા વધુ રિસર્વ માટે અરજીઓ મળી હતી. જેમાંથી 80 હજાર જેટલી અરજીનો નિકાલ કરી દેવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.