દાંતા અને અંબાજી સહીતના ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ કાર્યરત કરવા 12 ટીમ કાર્યરત

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદના કારણે પાલનપુર, થરાદ, ડીસા, વડગામ, દાંતા અને અંબાજી સહીત જિલ્લામાં વરસાદ તથા પાણી ભરાવાના કારણે કુલ 12 જેટલા રસ્તાઓને ક્ષતિગ્રસ્ત થયા હતા. જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના કાર્યપાલક ઇજનેરએ જણાવ્યું છે કે વરસાદના કારણે જે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે કે જ્યાં પાણી ભરાયા છે તે રસ્તાઓ રીપેરીંગ તેમજ પાણી ડિસલ્ટિંગ કરવાની કામગીરી કાર્યરત કરાઈ છે. જિલ્લાના નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી ગામડાને જોડાતા તેમજ સ્ટેટ હાઇવે રીપેરીંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. વરસાદે વિરામ લેતાં સત્વરે તમામ રસ્તાઓ રીપેરીંગ થાય તેમજ વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે અમારી 12 ટીમ અત્યારે ફિલ્ડ પર કામ કરી રહી છે. જેથી આગામી સમયમાં જે રસ્તાઓ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયા છે તેને સત્વરે કાર્યરત કરી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.