પાલનપુરમાં 11 જર્જરિત મકાનો ઉતારી લેવાયાં પણ સૌથી ભયજનક હજુ બાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં જૂનાગઢ વાળી થાય એવી સ્થિતિ વચ્ચે શહેરી વિસ્તારના, ભરચક બજારના અને કોટ વિસ્તારના મળી 11 જર્જરિત ઈમારતોને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મોટાભાગની ઇમારતો ઉતારી લેવાઈ છે. શહેરની સૌથી જોખમી ઢુંઢીયાવાડી વિસ્તારમાં આવેલી દેવ ચેમ્બરની 102 સંયુક્ત મિલકતો સામે સૌથી મોટું જોખમ હોવા છતાં અંદર રહેતા જુદાજુદા 5થી 7 પરિવારોને પાલિકા હટાવી શકી નથી. હાલમાં પણ નાની મોટી 13 જર્જરિત ઇમારતોના માથે મોટું જોખમ હોવા છતાં પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા માત્ર નોટિસ પાઠવવા સિવાય કશું કરી શકતી નથી.

પાલનપુરમાં વર્ષોથી બંધ અનેક જર્જરીત મકાનોને વરસોથી નિયમિત નોટિસ અપાય છે પણ પાલિકા મકાન માલિકની મરજી વિના મકાનને હાથ સુદ્ધાં લગાવતી નથી. જોકે વારંવારની નોટિસના પગલે કોટ વિસ્તારની અંદર જુદા જુદા વિસ્તારોમાં આવેલી 11 જર્જરીત ઇમારતો હાલમાં ઉતરી રહી છે. જેમાં 8 જેટલી ઇમારતો સંપૂર્ણ ઉતરી ગઈ છે જ્યારે 3 ઇમારતોના ઉતારવાનું કામ ચાલી રહ્યું છે.

શહેરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં 50 વર્ષ પૂર્વે બનેલા દેવ ચેમ્બરમાં 5 થી 7 રૂમોમાં જુદા જુદા પરિવારો રહી રહ્યા છે. રહેવામાં જોખમ હોવાનું માનતા આ પરિવારો કહે છે ક્યારેક ક્યારેક છજાની ઉપરના પોપડા ખરે છે. કેટલાક પરિવારે બહાના બતાવ્યા કે સામે ઘર બને છે એટલે માટે થોડા દિવસ અહીં રહી રહ્યા છીએ. કેટલાક પરિવારો 15 વરસ ઉપરથી રહે છે. તો બીજીતરફ નગરપાલિકાની ટીપી શાખા એ જણાવ્યું કે પાલિકા દ્વારા જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ઉપરાંત પાછલા કેટલાક વર્ષોથી પાલિકા દ્વારા નિયમિત રીતે અત્યંત જર્જરીત મકાનોને નોટિસ મોકલવાના પ્રયાસો કરવા ઉપરાંત ઈમારત ઉપર નોટિસ ચોટાડવામાં આવે છે પરંતુ મૂળ મકાન માલિકો સુધી પહોંચી શકાયું નથી. પાછલા ત્રણ વર્ષમાં અનેક મકાનો ઉતરાવી પણ દીધા છે પરંતુ હજુ કેટલાક મકાનો જોખમી હાલતમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.