![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-194.jpg)
બનાસકાંઠામાં લમ્પી વાયરસના નવા 1041 કેસ નોંધાયા, 20 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 1041 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. જ્યારે 20 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના 14 તાલુકાઓમાં પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 525 ગામમાં પશુઓમાં લમ્પી વાઇરસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ 14654 પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 291 પશુઓના મોત નિપજ્યા છે.
14 તાલુકાઓમાં લંપી વાઇરસની અસર જોઈએ તો દાંતા તાલુકાના કુલ 6 ગામ, અમીરગઢ તાલુકના કુલ 9, પાલનપુર તાલુકાના કુલ 18 ગામ, વડગામ તાલુકના 11 ગામ, દાંતીવાડા તાલુકાના કુલ 17 ગામ, ડીસા તાલુકાના કુલ 49 ગામ, કાંકરેજ તાલુકના કુલ 62 ગામ, વાવ તાલુકના કુલ 61 ગામ, થરાદ તાલુકાના કુલ 76 ગામ, ભાભર તાલુકાના કુલ 41 ગામ, દિયોદર તાલુકાના કુલ 53 ગામ, ધાનેરા તાલુકના કુલ 40 ગામ, સુઈગામ તાલુકાના કુલ 35 ગામ અને લાખણી તાલુકાના કુલ 47 ગામ મળીને જિલ્લા કુલ 525 ગામોમાં લમ્પી વાઇરસ ફેલાયો છે.