થરા- રાધનપુર હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘુસતા ૧ નું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના મહામારી અને અનલોકમાં મળેલી વધુ પડતી છૂટ વચ્ચે માર્ગ અકસ્માતોની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. સોમવારે સવારે થરા-રાધનપુર નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થયું છે. પેટ્રોલપંપ નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઇ આસપાસના લોકો એકઠા ગઇ ગયા હતા. આ તરફ થરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના થરા-રાધનપુર નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. થરાના રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ટ્રકની પાછળ કારચાલક ઘુસી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં રાજસ્થાનના કાર ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ છે. આ તરફ પોલીસે મૃતકની લાશને થરા રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.