ભાભર નજીક કેનાલમાંથી મોરવાડાના યુવકની લાશ મળતાં ચકચાર મચી.

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભર તાલુકાના ઉજજનવાડા ગામ નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી મોરવાડાના યુવાનની લાશ મળતાં ચકચાર મચી છે. ભાભર તાલુકાના ઉજજનવાડા ગામ નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલના ગેટ પાસે બુધવારે સાંજે યુવકની લાશ મળી હતી. જેથી સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને દોરડાથી બાંધી બહાર કાઢી હતી.
 
લાશને જોવા માટે કેનાલ ઉપર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. આ મૃતક યુવાન સુઇગામ તાલુકાના મોરવાડા ગામનો અમથુજી મણાજી ઠાકોર (ઉં.વ.આ.૨૭) હોવાનું જાણવા મળ્યું હતું. લાશની ઓળખ થતાં તેના વાલીવારસોને જાણ કરાતાં તેઓએ દોડી આવી લાશને ઘરે લઇ ગયા હતા. મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.