બનાસકાંઠાના પ્રભારી મંત્રી સામે આક્ષેપ કરતા વાવના સરપંચો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી સામે લાલઘૂમ બનેલા વાવ તાલુકા ના સરપંચો પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ પ્રભારીમંત્રી વિરુદ્ધ કલેકટર કચેરીમાં રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી.
વાવ તાલુકાના સરપંચ એસોશીઅશન એ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પ્રભારી મંત્રી દ્વારા માનીતા કોન્ટ્રાક્ટરોને ગ્રાન્ટ ફાળવી પંચાયતો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનો હોવાનો આક્ષેપ કરાયો હતો. જીલ્લા આયોજન કચેરી દ્વારા સરપંચોને વિશ્વાસમાં લીધા વિના ગ્રાન્ટનું આયોજન કરાતાં વિવાદ થયો હોવાનું કિરણસિંહએ જણાવ્યું હતું.
અગાઉ ભાભર તાલુકા સરપંચ પ્રતિનિધિ મંડળે પણ પ્રભારીમંત્રી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે હવે વાવના સરપંચોએ પણ પ્રભારી મંત્રી સામે બાંયો ચડાવી છે. વાવ તાલુકા પંચાયતમાં એક પણ ટી. ડી.ઓ. સ્થાઈ રહેતા ન હોઈ સરપંચ એસોસિએશનએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક પણ ંઙ્ઘર્ને તંત્ર સ્થાયી થવા દેતું નથી. ૩ વર્ષ મા ૧૩  બદલાયા હોઈ વિકાસના કામોમા વાવ તાલુકાની પ્રજા અટવાઈ રહી હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.