બનાસકાંઠાના એલ.એમ.સી. શિક્ષકોએ અધિક કલેકટરને આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોના કહેરને પગલે લોકોની રોજગારી પર મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના એલ.એમ.સી શિક્ષકોએ પોતાની માંગ ને લઇ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાની એકલવ્ય મોડેલ સ્કુલ, કન્યા નિવાસી વિદ્યાલયમાં એલ.એમ.સી.શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ કોરોના મહામારીના કારણે હાલ તેઓ બેરોજગાર બની ગયા છે. બાકી પગારને લઈને શિક્ષકોની હાલત કફોડી બની છે. ત્યારે શિક્ષકોએ બાકી પગાર અને ફરજ પર હાજર કરવાની માંગ સાથે અધિક કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે. પરંતુ શિક્ષકોને એમની ફરજ પર બોલાવવામાં આવ્યા નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી માસિક વેતન પણ મળ્યું નથી. ત્યારે શિક્ષકોએ આવેદન પત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.