પત્ની સાથેના પ્રેમ સંબંધમાં વાવના બાહીસરાના યુવકની હત્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદની નર્મદા નહેર પરથી મંગળવારની રાત્રિના સુમારે મોટરસાયકલ સાથે એક યુવકનો મૃતદેહ પડેલો હોવાની થરાદની ૧૦૮ને જાણ કરાતાં ટીમ થરાદની રેફરલ હોસ્પીટલમાં લઇ આવી હતી. જેના ફોટા વાયરલ કરી યુવકની ઓળખ કરાતાં તે વાવ તાલુકાના બાહીસરા ગામનો શૈલેષભાઇ હોવાનું અને તેના લગ્ન મલુપુર તા.થરાદ સાથે કરેલા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ શૈલેષભાઇ સાંજના આશરે સાતેક વાગ્યાના સમયે પિતરાઇ અમરતભાઇ વેલાભાઇ દેસાઇનું મોટર સાયકલ લઇને વાસરડા ગામે કામ હોઇ ત્યાં જવાનું કહીને નિકળ્યો હતો.
મંગળવારની રાત્રીના આશરે દશ સવા દશેક વાગ્યાના મૃતકના પરિવારને જાણ થતાં થરાદ આવીને તપાસ કરતાં શેલેષભાઇના શરીરે માથા લમણા, હાથની કોણી તથા પેટ અને છાતીના ભાગે તિક્ષ્ણ હથીયાર વડે માર મારેલ હોઈ પુષ્કળ પ્રમાણમાં લોહી નિકળી જવા પામ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા શીવાભાઇ દાંનાભાઇ દેસાઇએ થરાદ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મૃતકને તેમના ગામના ધનાભાઇ ભુરાભાઇ રબારીની દિકરી સોનલ સાથે પ્રેમ સંબંધ હતો. તેમજ સોનલનો પતિ ખુમાભાઇ નરસંગભાઇ રબારી રહે. મોરીખા તા.વાવ સોનલ સાથેના પ્રેમ સંબંધનો શક રાખીને ફોનમાં મારી નાખવાની ધમકી આપતો હોવાની વાત શૈલેષભાઇએ ગામના ગમનભાઇ કાનજી ભાઇ રબારીને કરી હતી. આથી પ્રેમ સંબંધના શકમાં બુધવારના સાંજના આશરે સાત વાગ્યાના સમયથી રાત્રીના દશ વાગ્યાના સમયે થરાદ નર્મદા મુખ્ય કેનાલના વાવ પુલથી નાગલા બાજુ જવાના કેનાલના રસ્તા ઉપર તિક્ષ્ણ હથીયાર શરીરના જુદાજુદા ભાગો ઉપર મારી ખુન કરી મોત નિપજાવ્યા બાબતની ફરીયાદ નોંધાતાં પોલીસે ખુમાભાઇ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ઘટના સ્થળ પર હત્યા કરાઇ હોવાના કોઇ સુરાગ નહી મળતાં પોલીસને હત્યા કોઇ અન્ય સ્થળે કરાઇ હોય અને મોટરસાયકલ સાથે કેનાલ નજીક લાવીને મૃતદેહ ફેંકી દેવાયો હોવાની આશંકાના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.