ધાનેરા તાલુકાના નેનાવા ગામે છ ઇસમોને આખી રાત ગાડીમાં બાંધી રાખી માર માર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરાના માલોત્રા ગામે રહેલા ગમનાભાઇ જીવાભાઇ પટેલની દિકરી સુરેખાના લગ્ન ચારેક વર્ષ અગાઉ નેનાવા ગામે થયેલા હતા. પરંતુ સુરેખાબેન તેમજ તેમના પતિ સાથે મનમેળ ન હોવાથી સુરેખાબેન પોતાના પિતાના ઘરે રહેતા હતા અને જેના કારણે આ બન્ને ને છુટાછેડા લેવાનુ નક્કી કરવામાં આવતા છુટાછેડામાં સામાજીક દંડની થતી રકમ ૧૧.૨૦ લાખ તેમજ સુરેખાને લગ્ન સમયે આપવામાં આવેલ ચાંદીના કડલા, સોનાનુ એક ફુલ તેમજ સોનાની બે વિંટીઓ પરત લઇને આવવાનુ જણાવેલ તેમજ છુટાછેડા માટે જે લખાણ કરવાનુ છે તે માટે દસ્તાવેજી પુરાવા પણ લાવવાનું જણાવતા અગરાભાઇ કાનજીભાઇ પટેલ, સેંધાભાઇ રામજીભાઇ પટેલ, દશરથભાઇ અગરાભાઇ પટેલ ત્રણે રહે. માલોત્રા વાળાઓએ તેમની સાથે કાગળોના કામકાજ માટે ધાનેરાથી બંટીભાઇ શુરેશભાઇ કણેરીયા (વકીલ) અને વકીલની સાથે મદદમાં પ્રવિણભાઇ રમેશભાઇ ચૌધરી, શાહરુઝખાનલસ્કરખાન બેલીમ ત્રણે રહે. ધાનેરાવાળાઓ સાથે  બોલેરોગાડીમાં નેનાવા ખાતે પહોચેલા અને ત્યાં પ્રભાભાઇ માનાભાઇ પટેલ, દેવકરણ રાયમલ પટેલ, લાખા રાયમલ પટેલ, માધા રાયમલ પટેલ વગેરે રસ્તામાં ઉભા હતા અને જણાવેલ કે વાત થયા પ્રમાણેની રકમ આપી દો ત્યારે તે રકમ આપવા માટે રસ્તો યોગ્ય જગ્યા ન હોઇ ના પાડેલ. જેથી પ્રભાભાઇ પટેલે ચતરાભાઇ રબારીને ત્યાં આ તમામને લઇ ગયેલ અને ત્યાં તેમની પાસેથી રકમ તથા દાગીના લીધેલા અને જે લખાણ કરવાનુ હતુ તે કરેલ અને તેવામાં ત્યાં જેતા ગોવા પટેલ તથા અન્ય ૧૦ જેટલા બુકાનીધારી ઇસમો લાકડીઓ સાથે આવેલ અને આ રકમ તથા દાગીના લઇ લીધેલ અને મારવા લાગેલ અને આ છુટાછેડાના કામે આવેલ છ ઇસમોને હાથ પગ બાંધીને કેમ્પર ગાડી તેમજ સ્વીફ્‌ટ ગાડીમાં નાખી જોરદાર માર મારેલ. બાદમાં આ તમામ ઇસમો વહેલી સવારે ત્રણ વાગ્યાના સુમારે માલોત્રા ગામે ગાડી લઇને આવી પહોચેલા અને ગમનાભાઇ જીવાભાઇના ખેતરે પહોચી અને ત્યાં ગમનાભાઇને માર મારેલ તેમજ તેમની દિકરીમે ઉપાડવાની કોસીસ કરતાં તેમની પત્ની તેમજ અન્ય એક દિકરી વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુ તેમજ લાકડીઓ વડે માર મારેલ. જ્યારે ગમનાભાઇએ તે લોકોનો સામનો કરતા ગમનાભાઇને માથામાં ધારીયુ મારતાં ગંભીર ઇજાઓ પામેલ અને તેવામાં હોબાળો થતાં આજુબાજુના ખેતરોમાંથી લોકો દોડી આવતા આ ઇસમો ભાગતા ભાગતા ગમનાભાઇની દિકરીના ગળામાં પહેરેલ સોનાની ચેઇન પણ લુંટી ગયા હતા. જેથી આવેલ લોકોએ ગમનાભાઇ પટેલ તેમજ તેમના પરીવારને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પીટલમાં ખસેડ્‌યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગીની ફરીયાદ નાંધાતા પોલિસે આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.