ધાનેરાના ધાખા ગામે શીતળા માતાજીનો મેળો ભરાયો
ધાનેરા તાલુકાના ધાખા ગામ ખાતે આવેલા શીતળા માતા ના મદિરે મેળો ભરાયો હતો જેમાં ધાનેરા તાલુકા ના મોટા ભાગ ના ગામો માંથી સૌથી વધારે મહિલાઓ એ શીતળા માતા ને પ્રસાદ ધરી સાતમ પર્વ ની ઉજવણી કરી હતી.વર્ષ મા બે વાર ધાખા ગામ ખાતે આવેલા શીતળા માતા ના મંદિરે ભગતી નો મેળો ભરાય છે.
સવાર થી વિશાળ સંખ્યા મા ભગતો નો આવરો ધાખા ગામ ખાતે જોવા મળ્યો હતો.ધાનેરા તાલુકો પશુપાલન પર નિર્ભય તાલુકો હોવાના કારણે શીતળા માતા ના મંદિરે સૌથી વધારે મહિલાઓ દર્શન માટે આવતી હોય છે.સાતમ ના અગાઉ ના દિવસે પ્રસાદ બનાવી આજે માતાજી ને પ્રસાદ ધરવા માટે મહિલાઓ આવતી હોય છે.જેમાં બાજરી ..મીઠું ..ગોળ..સુખડી..ઘઉં સહિત ની પ્રસાદ માતા જી ને અર્પણ કરવામાં આવે છે.પશુઓ મા કોઈ રોગ નાં આવે અને પરિવાર મા સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના સાથે આજે હજારો ભગતો એ સાતમ ના દિવસે શીતળા માતા ના દર્શન નો લાભ લીધો છે.ફોતા સામેલ છે.