દિયોદરમાં દુકાનમાં ઘુસી વેપારીને માર્યા છરીના ઘા, ૧૫ સેકંડમાં ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર તાલુકાના ગામે ગત મોડી રાત્રે લૂંટના ઇરાદે હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે છરી વડે દુકાનદાર ઉપર હુમલો કરી લુંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન દુકાનદાર અને શખ્સ વચ્ચે ઘર્ષણ થાય તે પહેલા હુમલાખોર ગણતરીની સેકંડોમાં છરી મારી ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દુકાનદાર જોડે આસપાસના લોકો દોડી આવી તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
 
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામે મંગળવારે મોડીરાત્રે લૂંટ સાથે હુમલાની ઘટના બની છે. મંગળવારે રાત્રે ૮ વાગે મહેન્દ્રસિંહ વાઘેલા પોતાની દુકાન ઉપર બેસેલા હતા. આ દરમ્યાન એક બુકાનીધારી શખ્સ હાથમાં છરી સાથે આવી ચડ્યો હતો. વેપારીને ખબર પડે તે પહેલા અચાનક છરી વડે પડખાના ભાગે ધડાધડ ઘા મારવા લાગ્યો હતો. આ દરમ્યાન લૂંટના પ્રયાસ વચ્ચે લોકો દોડી આવે તે પહેલા આરોપી ૧૫ સેકંડમાં ફરાર થઇ ગયો હતો.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઇજાગ્રસ્ત દુકાનદારે બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. આ દરમ્યાન બુકાનીધારી શખ્સ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત મહેન્દ્રસિંહને દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં દિયોદર પોલીસના પીએસઆઇ સહિતની ટીમ મોડી રાત્રે પહોંચી હતી. પોલીસે દુકાનદાર મહેન્દ્રસિંહનું નિવેદન લઇ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.