![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/બાળકોને-માહિતગાર-કરાયા-01-હેડ.jpg)
થરાદમાં બાળકોને ઇમરજન્સીના સમયમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટેની માહિતી આપવામાં આવી
થરાદમાં બાળકોને ઇમરજન્સીના સમયમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટેની માહિતી આપવામાં આવી હતી. જેમાં આગ લાગવાના સમયે કઈ રીતે તેના પર કાબૂ મેળવવો તે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાથમિક શાળા ડોડગામના વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રોએ થરાદ નગરપાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યારે ફાયર ઓફિસર વિરમજી રાઠોડ દ્વારા તેમને ફાયર બ્રિગેડ કઇ રીતે કામગીરી કરે અને કંટ્રોલરૂમ તથા આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફત આવે ત્યારે તેની સામે કેવી રીતે બચી શકાય તથા લોકો અને બાળકોમાં જાગૃતિ કેળવાય અને તે સમયે ભાગદોડના કરતા તેની સામે આપણને શું રક્ષણ મળી શકે અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમાં ફાયર બ્રિગેડ ટીમ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ વિશે માહિતગાર કરી અને કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શાળા પરિવારે ફાયર બ્રિગેડનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને બાળકો ડેમો જોઈ ખુશખુશાલ થઈ ગયા હતા. કુલ 121 વિધાર્થી થતા સ્ટાફે મુલાકાત કરી હતી.