થરાદના રાહથી ભલાસરા જવાનો રસ્તો પાકો બનાવી આપવા લોકમાંગ
થરાદ તાલુકાના રાહ ગામથી ભલાસરા જવાનો વર્ષોથી જુનો માર્ગ છે આ રસ્તો પાકો બનાવવા માટે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે અનેક ધારાસભ્યો આવ્યા પણ આ ગામના રસ્તાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી આ રસ્તા પર પ્રાથમિક શાળા અને એક બાલમંદિર પણ આવેલું છે આ રસ્તા ને પાકો બનાવવા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને પુરબીયા પ્રજાપતિ સમાજના યુવા અગ્રણી જગદીશભાઈ પ્રજાપતિએ 2019 માં મંત્રી પરબતભાઈ પટેલને રજૂઆત પણ કરી હતી
તેમજ હાલના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષને પણ લેખિત રજૂઆત પણ કરી હતી તેમ જ ગામના સરપંચે પણ રજૂઆત કરી હતી કે બાળકોને ભણવા જવા માટે સૌથી વધુ તકલીફ પડે છે તેમ જ ઘણીવાર આ કાચા રસ્તા ના કારણે કોઈ ઈમરજન્સી હોય કે કોઈ બીમાર હોય કે કોઈ કામ હોય તો વાહન સ્પીડથી ચલાવી શકાતું નથી અને અકસ્માત થવાનો વારંવાર ભય રહે છે. આ રસ્તાને પાકો બનાવવા રજૂઆત કરવા છતાં પાકો રસ્તોન બનતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ અંગે ગામના ભેરાભાઈ પટેલ અને લાધાજી તેમજ રામજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે આ રસ્તા પર ચોમાસાની ઋતુમાં સૌથી વધારે તકલીફ પડે છે આ રસ્તાને પાકો બનાવે તેવી રાહ ભલાસરા, છનાસરા , કામાળી ,ભુરીયા તેમજ આસપાસના ગ્રામજનોની પણ માંગ ઉઠી છે.
Tags Banaskantha Deesa Dhanera diyodar vav